પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ

admin
1 Min Read

જમ્મુ કાશ્મીરમાં વધુ એક વખત સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સર્જાયેલ આ અથડામણમાં સેનાનો એક જવાન શહિદ થયો છે જ્યારે એક જવાન ઘાયલ થયો છે. જ્યારે સુરક્ષાદળોએ આ અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે.

(File Pic)

મળતી માહિતી મુજબ, જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમા સેનાનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક જવાન ઘાયલ થયો હોવાની માહિતી સામે આવી છે. સેનાને જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતું. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કરતા સેનાએ પણ મોરચો સંભાળીને વળતો જવાબ આપ્યો હતો.

(File Pic)

આતંકીઓ સાથેની આ અથડામણમાં સેનાનો એક જવાન શહિદ થયો છે. જ્યારે એક જવાન ઘાયલ થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. બીજીબાજુ કાશ્મીરના બારામુલામાં આતંકીઓએ આર્મીની પેટ્રોલિંગ ટીમ પર પણ હુમલો કર્યો હોવાની વિગત સામે આવી છે. જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે.

Share This Article