કોરોના દર્દી માટે મેનલેશ સર્વિંગ વાન બનાવવા આવી

admin
1 Min Read

સુરતમાં કોરોના દર્દી માટે મેનલેશ સર્વિંગ વાન બનાવવામાં આવી છે. મહત્વનુ છે કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીની દવા અને જમવાની સર્વિંગ માટે વાન બનાવવામાં આવી છે. તેમજ ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા વાન તૈયાર કરવામાં આવી છે. તેમજ સુરત સિવિલ હોસ્પિટલને આ વાન અર્પણ કરવામાં આવશે.

તેમજ ડોક્ટર અને નર્સ દર્દીના સંપર્કમાં ઓછા આવે તે માટે મેનલેશ સર્વિંગ વાન બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસના કારણે અનેક મોત થઈ ચૂકી છે. તેમજ આ મહામારી સંક્રમણમાં આવવાથી વધે છે. ત્યારે અત્યારે પોલીસ અને ડોક્ટર દિવસ રાત આ મહામારીને હરાવવા માટે મહા મહેનત કરી રહ્યા છે. ત્યારે આ માહમારીના સંક્રમણમાં ડોકટરો કે નર્સ ન આવે તે માટે સુરતમાં કોરોના દર્દી માટે મેનલેશ સર્વિંગ વાન બનાવવામાં આવી છે.

Share This Article