ઊંઝાનાં પ્રમુખે દીપ પ્રગટાવી મહામારી સામે લડવા તાકાત આપવા કરી પ્રાર્થના

admin
1 Min Read

મહેસાણામાં ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખે દીપ પ્રગટાવી  કોરોના મહામારીમાંથી દેશ મુક્ત થાય તે માટે માં ઉમિયાને પ્રાર્થના કરી હતી. મહત્વનુ છે કે, સંસ્થા તરફથી દરેક લોકોને ઘરે દીપ પ્રાગટ્ય કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ અખાત્રીજની સાંજે 7.30  કલાકે પોતાના ઘરે માતાજીનો દીવો કરવા અપીલ કરાઇ હતી.

તેમજ કોરોના વાયરસની લડતમાં કામ કરતા તમામ કોરોના વોરિયસને વાયરસથી બચવવામાં ઉમિયાનો દીવો ઘરે રહીને કરવા સંદેશો અપાયો હતો. તેમજ દરેક પાટીદાર અને માં ઉમિયા ના ભક્તોએ ઘરે દીવો કર્યો હતો. તેવામાં ઘરમાં રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહોનું સૂત્ર પણ માં ઉમિયા પરિવારે આપ્યું હતું. માં ઉમિયાના મંદિરમાં સોસિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં સુંદર આયોજન કરાયું હતું.

 

 

 

Share This Article