ગુજરાતમાં અચાનક ઘટતા જતા કોરોનાના કેસ, કેસ ઘટ્યા કે ટેસ્ટ ઘટ્યા?

admin
2 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. જેના કારણે તંત્રની પણ ચિંતામાં વધારો થયો છે. જોકે હવે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રોજ નોંધાતા કેસોમાં અચાનક ઘટાડો જોવા મળતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે. અચાનક કોરોનાના કેસમાં 100થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈ કેસ ઘટી રહ્યા છે કે ટેસ્ટ ઘટી રહ્યા છે તે એક સવાલ ઉભો થયો છે. રાજ્યમાં 1 ઓક્ટોબર સાંજથી 2 ઓક્ટોબર સાંજ સુધીમાં 1310 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં 1310 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 1,40,055 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1250 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 15 દર્દીના કોરોનાથી મોત થયા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3478 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,19,815 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 278 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 198, વડોદરામાં 129 અને રાજકોટમાં 151 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 26, જામનગરમાં 86, પંચમહાલમાં 21, અમરેલીમાં 28, સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 16762 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article