લોકડાઉનમાં છૂટછાટ બાદ રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. લોકડાઉનમાંથી છૂટછાટ આપવામાં આવ્યા બાદ ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 510 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં નવા 510 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 19119 થઈ ગઈ છે. બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 344 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 35 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1190 થયો છે.

જ્યારે અત્યાર સુધી કુલ 13011 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 324, સુરતમાં 67 જ્યારે વડોદરામાં 45 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 21 કેસ નોંધાયા છે. તો મહેસાણામાં 9, પાટણ-જામનગરમાં 6-6 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં 5, ભાવનગર-અમરેલીમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે ખેડા-ભરુચ-સુરેન્દ્રનગરમાં 3-3 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Share This Article