ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં નોંધાયા 712 પોઝિટિવ કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછુ થવાનું નામ જ નથી લઈ રહ્યો. દિવસેને દિવસે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે 3 જુલાઈ સાંજથી 4 જુલાઈ સાંજ સુધીમાં વધુ 712 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 35398 થઈ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 21 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1927 થયો છે. જ્યારે 24 કલાકમાં 473 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 25414 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 253 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 172, વડોદરામાં 61 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 47, ભાવનગરમાં 20, વલસાડમાં 19 કેસ સામે આવ્યા છે. જ્યારે ગાંધીનગર-ભરુચમાં 15-15 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો નવસારીમાં 11, બનાસકાંઠા-ખેડા-જુનાગઢમાં 10-10 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 8057  એક્ટિવ કેસ છે. જેમાં 68 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 7989 સ્ટેબલ છે.

Share This Article