કૃષ્ણનગરમાં કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું

admin
1 Min Read

 

 

ASI જીતેન્દ્રસિંહજી હઠીસિંહજી રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ ટ્રાફિક શાખા એચ ડીવિઝન રખિયાલ પોલીસ સ્ટેશન ગરીબ નગર પોલીસ ચોકીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ કોરોના વાયરસની મહામારીમાં તેઓ પોતાના જીવના જોખમે ફરજ બજાવી ઘરે પરત ફર્યા ત્યારે નોબલ સ્કૂલની બાજુમાં કૃષ્ણનગરમાં આવેલા ભગીરથ પાર્ક વિભાગ ૧ માં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સોસાયટીના સભ્યોએ ફૂલહાર પહેરાવીને અને તેમની આરતી કરીને સ્વાગત કર્યું હતું તેમજ તેમની કામગીરીને બિરદાવી હતી.

Share This Article