જામનગરમાં ડોક્ટરને થયો કોરોના , આરોગ્ય તંત્રમાં મચી દોડધામ

admin
1 Min Read

સમગ્ર ભારતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. તેવામાં જામનગરમાં કોરોનાનો કેસ નોંધાયો હોવાના સમાચાર આવતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. તેઓ મૂળ જામનગરના અને હાલ અમદાવાદ ખાતે સરદાર પટેલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચાર્મીને કોરોના સંક્રમણનો પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર દોડતું થયું હતું.

અમદાવાદની સરદાર પટેલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર ચાર્મી કોરોના પોઝિટિવ કેસના ભોગ બન્યા છે. ડોક્ટર ચાર્મીને સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Share This Article