સુરતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થયો, 24 કલાકમાં નોંધાયા 300થી વધુ કેસ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. અનલોક 1 બાદ અનલોક 2 લાગુ થઈ ચુક્યુ છે ત્યારે આ દરમિયાન કોરોનાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ બાદ હવે કોરોનાએ સુરતને બાનમાં લીધું છે. સુરતમાં હવે જાણે કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો હોય તેમ રોજેરોજ કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે 8 જુલાઈ સાંજથી 9 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં કોરોનાના વધુ 307 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 1009 લોકોનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જે પૈકી 307 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં આ સાથે જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 7038 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 124 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 4490 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 6 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 205 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2343 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.

Share This Article