ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની ઘટના

admin
1 Min Read
[/video]

સંતરામપુરમાં ગણેશ સ્થાપના નિમિત્તે ઝંડો ફરકાવતા યુવકને કરંટ લાગ્યો, શ્રીજીની મુુર્તિ પાસેથી નીચે પટકાયો હતો.યુવકને તાત્કાલિક  સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની રાજ્યની ત્રીજી ઘટના સામે આવી છે.સંતરામપુરમાં ગણેશ સ્થાપના નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન અંદર ગણેશજીની મુર્તિ પાસે અનુરાગ મોચી નામનો યુવક ઝંડો ઉચો કરીને ફરકાવતો હતો. આ દરમિયાન ઝંડો ઈલેક્ટ્રિક વાયરને અડી જતા તેનો ભયાનક કરંટ લાગ્યો હતો. જેથી તે શ્રીજીની મુર્તિ પરથી નીચે પટકાયો હતો. આ સમગ્ર ઘટના વીડિયો ઉતારતા એક મોબાઈલમાં કેદ થઈ હતી. જોકે, અનુરાગને તાત્કાલિક સંતરામપુરના સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાતા તેનો આબાદ બચાવ થયો હતો. બાળપણથી જ તે પોતાના ઘરે ગણેશ સ્થાપના કરતો હોવાથી શ્રીજીએ તેનો જીવ બચાવ્યો છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.

Share This Article