ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો, હાલ 6,95,509 એક્ટિવ કેસ

admin
1 Min Read

કોરોના વાયરસના કહેર વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે અને આ સંખ્યા 7 લાખથી નીચે ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,366 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 690 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 77,61,312 થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા હવે 78 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1.17 લાખને પાર કરી ગયો છે. વિશેષમાં, ભારતમાં કોરોનાની મહામારી સામે લડીને 69 લાખ 48 હજાર 497 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,95,509 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,17,306 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 22 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,01,13,085 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 14,42,722 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Share This Article