જિલ્લામાં ઉકાળાનું વિતરણ, પૂર્વ કોર્પોરેટર દ્વારા કરાઇ વ્યવસ્થા

admin
1 Min Read

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દિપકભાઈ આફ્રિકાવાલા તરફથી આયુર્વેદ આચાર્યોએ નક્કી કરેલા  ફોર્મ્યુલા મુજબનો કોરોના વાયરસથી રક્ષણ મેળવવા માટેનો કાઢો (ઉકાળો) પીવડાવવા માટેનો કાર્યક્રમ બટંકેશ્રવર મહાદેવ-બહુચરાજી મંદિર વાડીફળીયા ઉપર વિનામૂલ્યે રાખવામા આવ્યો હતો. જેમાં ઘંટી શેરી, કોટ શેરી, ચક્કાવાળાની શેરી, સ્ટોર શેરી, સિદ્ધમાતાની શેરી વિગેરે વિસ્તારના રહીશો જેઓને હોમીઓપેથી દવાનો લાભ લીધો.

ત્યારે દિપકભાઈ આફ્રિકાવાળા, મયંક બદામી, અશોક ભાઈ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસના કારણે ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે અત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફરી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. ત્યારે લોકોનો સ્વાસ્થય સારો રહે તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને માસ્ક, સેનેટાઈઝર તેમજ ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે.

 

Share This Article