પાટણમાં દિવાળી સ્નેહ મિલન યોજાયું

admin
1 Min Read

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર દ્વારા હાજરીમાં ચૌધરી સમાજનો દિવાળી સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના મોટી સંખ્યામાં ચૌધરી સમાજના ભાઇ-બહેનો જોડાયા અને દરેકને નવું વર્ષ સારું જાય તેવી આશા સાથે સમાજ વ્યસન મુક્ત બને તેવું આહવાન કર્યું હતું અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વિસનગર ખાતે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા આદર્શ હાઈસ્કુલના તથા દુધસાગર ડેરીના પ્રણેતા પૂર્વ સાંસદ સ્વ શ્રી માનસિંહભાઈ પટેલની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામા આવી હતી. સમારંભનું સ્વાગત પ્રવચન સહકારી આગેવાન વિસનગર તાલુકા સંઘના પ્રમુખ કે.કે.ચૌધરીએ કર્યું હતુ.

Share This Article