સુશાંતની ફિલ્મ “દિલ બેચારા” જોઈ ઈમોશનલ થયા પ્રશંસકો, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ

admin
2 Min Read

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા 24 જુલાઇના રોજ રીલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મ ડિઝિટલ પ્લેટફોર્મ પર રીલીઝ કરવમાં આવી છે. ફિલ્મને રિલીઝ થતાં જ સુશાંતસિંહના પ્રશંસકો તેને જોઇને ભાવુક થઇ ગયા અને પોતાનું દર્દ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા વ્યક્ત કરવા લાગ્યા હતા.

(File Pic)

સુશાંતની આ ફિલ્મે રીલીઝ સાથે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. આઈએમડીબી રેન્કીંગએ આ ફિલ્મને 10માંથી 10 સંપૂર્ણ રેટીંગ આપ્યા છે. સુશાંતના ચાહકો આ રેટીંગ જોઈને પણ ખુશ છે. આ દુનિયાને અલવિદા કહી ચૂકેલા સુશાંતે ભલે પોતાની અંતિમ ફિલ્મમાં બધાને ભાવુક કરી દીધા હોય, પરંતુ તેમણે મોટો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે.

(File Pic)

સુશાંતે પોતાની છેલ્લી ફિલ્મ દ્વારા લોકોને તે બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ દુનિયામાં પ્રેમથી વધુ કશું છે. એક એવો વ્યક્તિ જે ફિલ્મમાં જીંદગી અને મોત વચ્ચે ઝૂઝૂમી રહ્યો છે, તે મરવાનો છે…પરંતુ તેમછતાં જીંદગીની વિતેલી પળોને તે પ્રેમ સાથે જીવવા માંગે છે, હસવા માંગે છે અને એકબીજા વચ્ચે પ્રેમ વહેંચવા માંગે છે.

ફિલ્મમાં સુશાંતની આ વિચારસણી લોકો પર ઉંડો પ્રભાવ પડશે અને કદાચ તે એમ વિચારતા હશે. આ ફિલ્મને જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સુશાંત હવે આપણી વચ્ચે નથી.

સુશાંતની આ ફિલ્મ તેમના પ્રશંસકો મટે એક યાદગાર ફિલ્મ બની ગઇ છે. સુશાંત સિંહ રાજપૂતને છેલ્લી વાર સ્ક્રીન પર જોઇને દરેકની આંખો નમ થઇ ગઈ હતી. તેને જોઈને ચાહકો ઉત્સાહી છે અને પોસ્ટ શેર કરી રહ્યા છે.

તેની સ્માઈલ, અભિનય જોઈને કોઈ પણ માનવા તૈયાર નથી કે હવે તે આ દુનિયામાં નથી. ચાહકોનું કહેવું છે કે આ ફિલ્મની વાર્તા સુશાંતના જીવન સાથે ખૂબ સમાન છે.

Share This Article