મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈ મુખ્યમંત્રી ઠાકરેનું નિવેદન

admin
2 Min Read

દેશભરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. ભારતમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે તેઓ રાજ્યમાં કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે આર્થિક ચિંતાઓને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને સંપૂર્ણપણે દૂર કરવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે વૈશ્વિક રોગચાળાએ ઉભા કરેલા પડકારને ધ્યાનમાં લેતા આરોગ્ય અને અર્થવ્યવસ્થાને લગતા પ્રશ્નો વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે.

આ સાથે જ તેમણે કહ્યું, “હું ક્યારેય નહીં કહું કે, લોકડાઉન સંપૂર્ણપણે દૂર થઈ જશે. પરંતુ મેં કેટલીક વસ્તુઓ ધીમેથી ફરી શરૂ કરવાનું શરૂ કર્યું છે. એકવાર ફરીથી ખોલ્યા પછી તેને ફરીથી બંધ ન કરવી જોઈએ.” તેથી હું શિસ્તબદ્ધ રીતે પગલું ભરવા માંગુ છું, તમે માત્ર અર્થવ્યવસ્થા અથવા આરોગ્ય વિશે વિચાર ન કરો.

બંને વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે. “ઠાકરેએ શનિવારના મુખપત્ર શિવસેનાના મુખુપત્ર સામનામાં પ્રકાશિત ઇન્ટરવ્યુમાં આ નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લાગુ થયેલ લોકડાઉન 31 જુલાઇ સુધી ચાલશે. જૂન બાદ સરકારે તેની ‘મિશન બીગન અગેન’ પહેલના ભાગ રૂપે તબક્કાવાર રીતે નિયંત્રણો દૂર કરવાનું શરૂ કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું, ‘આ રોગચાળો વૈશ્વિક યુદ્ધ છે. તેની અસર આખી દુનિયા પર પડી છે. કેટલાક રાષ્ટ્રોએ એમ વિચારીને ઉતાવળમાં લૉકડાઉન હટાવી દીધું હતું મહામારી પૂર્ણ થઇ ગઇ પરંતુ તેનો ફરી ફેલાવો થતાં ફરીવાર લૉકડાઉન લાદવું પડ્યું. તો ઓસ્ટ્રેલિયાએ તો સેનાની મદદ લેવી પડી.

Share This Article