UNના રિપોર્ટમાં ચેતવણી, કેરળ-કર્ણાટકમાં મોટી સંખ્યામાં ISISના આતંકીઓ હાજર

admin
1 Min Read

આતંકવાદ અંગે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે કેરળ અને કર્ણાટકમાં આઈએસઆઈએસના આતંકવાદીઓની ખૂબ ‘મોટી સંખ્યા’ હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટમાં એ અંગે પણ સાવચેત કરવામાં આવ્યા છે કે ભારતીય ઉપખંડમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા હુમલાનું ષડયંત્ર ઘડી રહ્યું છે.

(File Pic)

એવું માનવામાં આવી રહ્યું કે આ સંગઠનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યામારના 150થી 200 આતંકી સામેલ છે. આઈએસઆઈએસ, અલ-કાયદા અને સંબંધીત વ્યક્તિઓ અને સંસ્થા પરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ઉપખંડમાં અલ-કાયદા તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરુઝ, હેલમંદ અને કંધાર પ્રાંતથી કામ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના 150 થી 200 જેટલા સભ્ય છે.

(File Pic)

અલ-કાયદાનો વર્તમાન વડો ઓસામા મહસૂદ છે. ઓસામા મહસૂદએ માર્યા ગયેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે. રીપોર્ટ મુજબ અલ-કાયદા પોતાના પૂર્વ વડાના મોતનો બદલો લેવા માટે આ ક્ષેત્રમાં જવાબી કાર્યવાહી કરવાનું ષડયંત્ર ઘડી રહ્યું છે.

Share This Article