143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં જગન્નાથ યાત્રા નહીં યોજાય

admin
1 Min Read

અમદાવાદમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં રોજ 250થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં અમદાવાદની રથયાત્રાને જ્યારે બે  દિવસ જ બાકી રહ્યા છે તેવામાં શહેરમાં રથયાત્રા પર રોક લગાવવા માટે કરાયેલ અરજી પર હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે.

અમદાવાદ શહેરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણના પગલે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવી કે નહીં તેને લઇને અસમંજસ છે. સરકાર તરફથી હજી સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

તો બીજી તરફ મંદિર અષાઢીબીજની રથયાત્રાને લઇને તૈયારીઓ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કોરોના મહામારી અને સંક્રમણ વધે નહીં એ માટે રથયાત્રા રદ થવી જોઇએ તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની અરજન્ટ સુનાવણી હાલ ચાલી રહી હતી. જેમાં હાઈકોર્ટે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર રોક લગાવી છે. તો બીજીબાજુ જગન્નાથ યાત્રા પર હાઈકોર્ટના સ્ટે મામલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે, હાઈકોર્ટના નિર્ણય અંગે અમે સરકાર સમક્ષ રજુઆત કરીશું.

Share This Article