પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હજુ કોમામાં, તબિયતમાં કોઈ સુધાર નહીં

admin
1 Min Read

દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ થયા બાદથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે જ તેમને શરીરમાં કેટલાક રોગ હોવાથી તેની સારવાર પણ ચાલી રહી છે. આર્મી હોસ્પિટલ દ્વારા પ્રણવ મુખર્જીની તબિયતને લઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં તેમણે કહ્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે, તેમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. તેઓ હજી પણ કોમામાં છે અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાલતમાં હાલમાં કોઈ સુધારો થયો નથી. પ્રણવ મુખર્જી હજી લાઇફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર સપોર્ટ પર છે.

આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કે 84 વર્ષીય મુખર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના મગજની સર્જરી કરવામાં આવી હતી. અગાઉ, કોવિડ – 19 તપાસમાં પણ તેના ચેપની પુષ્ટિ થઈ હતી. આપને જણાવી દઈએ કે, પ્રણવ મુખરજી 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ હતા. 15 ઓગસ્ટે તેમની પુત્રી અને કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખરજીએ પાછલા વર્ષોમાં તેમના દ્વારા કરાયેલા ધ્વજારોહણની તસવીરો પણ ટ્વીટ કરી હતી.

Share This Article