આ તારીખથી ગુજરાતની આરટીઓ કચેરી થશે શરુ

admin
1 Min Read

અમદાવાદ સહિત ગુજરાતની આરટીઓ કચેરીઓ તારીખ ૪ જૂનથી રાબેતા મુજબ શરુ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે આરટીઓ કચેરી બહાર સફેદ રંગથી એક મીટરના અંતરે ગોળ સર્કલ બનાવવામાં આવશે.

લાઇસન્સ સબંધીત કામગીરી માટે ઓન લાઇન એપાઇન્ટમેન્ટ લેનાર અરજદારે ફરજિયાત હાજર રહેવું પડશે, તેમજ શનિવાર તથા રવિવારે સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે.

મળતી માહિતી મુજબ, કોરાનાની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરાયું હોવાથી છેલ્લા બે મહિનાથી આરટીઓ કચેરી બંધ હતી. સરકારી કચેરીઓ ગઈ કાલથી શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે આરટીઓ કચેરીઓ ચાર જૂનથી રાબેતા મુજબ શરુ કરાશે.

જેમાં ખાસ કરીને કોરોના વાઇરસનું સંક્રમણ થાય નહી માટે આરટીઓ કચેરી બહાર સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ગોળ સર્કલ બનાવીને લાઇનમાં નંબર પ્રમાણે કામગીરી કરવી તથા આવનારા તમામ અરજદોરો અને કર્મચારીઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.

તેમજ વાહનના લાઇસન્સને લગતી કામગીરી માટે એપાઇન્ટમેન્ટ ફરજિયાત લેવાની રહેશે અને નિયત તારીખે અરજદાર હાજર નહીં રહે તો ફરી વખત એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આ ઉપરાંત વડી કચેરી દ્વારા આરટીઓ કચેરીના કર્મચારીઓને પણ લાઇન એપોઇન્ટમેન્ટ મેળવનારા અરજદારોનું કામકાજ ઓછા સમયમાં અને નિયત થયેલી તારીખે પૂર્ણ કરાવવા તેમજ અરજદારોને ધક્કા ખાવા ન પડે તેવી સુવિધા કરવા સૂચના આપવામાં આવી છે.

Share This Article