સુશાંતસિંહ કેસમાં ભૂત-પ્રેત કનેક્શન પણ નિકળ્યું? CBI કરી શકે છે તપાસ

admin
2 Min Read

બોલીવુડના દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ હાલ કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈની ટીમે આ કેસમાં તપાસ માટે મુંબઈમાં ધામા નાખ્યા છે. આ મામલે સીબીઆઈની એસઆઈટી તમામ એંગલને લઈ તપાસમાં લાગેલી છે.

ત્યારે સુશાંતસિંહના નજીકના મિત્ર દ્વારા કરવામાં આવેલ ખુલાસાએ તમામનો ચોંકાવી દીધા છે. તેણે નામ ન આપવાની શરતે એક ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે રીયા ચક્રવર્તી સુશાંતને ઘણી વખત ભગવાન અને ભૂત-પ્રેતની વાર્તાઓ સંભળાવતી હતી.

આ મામલો પણ હવે સીબીઆઈના ધ્યાનમાં આવતા હવે આ એંગલ પર પણ તપાસ કરવામાં આવી શકે છે. કેસની તપાસ કરી રહેલી CBIની ટીમની નજર હવે મુંબઈની વોટર સ્ટોન હોટલ-ક્લબ પર પણ ટકી છે. પરિવારનો આરોપ છે કે આ રિસોર્ટમાં આવ્યા બાદથી સુશાંત સિંહ પોતાના પરિવારથી દૂર થઈ ગયો હતો.

સુશાંતને આ રિસોર્ટમાં તેની ગર્લફ્રેન્ડ રિયા લઈ ગઈ હતી. તે ત્યાં 2 મહિના સુધી રોકાયો હતો.અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પોતે બાંદ્રાના ફ્લેટમાં રહેતો હતો. જાણકારી પ્રમાણે, તે ફ્લેટમાં ભૂત પ્રેતની વાત હતી, તેથી તે વોટર સ્ટોન હોટલ-ક્લબમાં રોકાયો હતો. સીબીઆઈની ટીમ ગઈકાલે આ હોટલના સ્ટાફ મેનેજરની પૂછપરછ કરી ચુકી છે.

(File Pic)

સીબીઆઈ જાણકારી મેળવી રહી છે કે જે દરમિયાન સુશાંત અહીં રોકાયો હતો, કોણ-કોણ લોકો તેને મળવા આવતા હતા. હોટલ વોટર સ્ટોન હોટલ-ક્લબના સીસીટીવી વિશે પણ સીબીઆઈએ જાણકારી મેળવી છે. હોટલમાં રિયા ચક્રવર્તી, સ્પ્રિચુઅલ ગુરૂ મહેશ જોશીને લઈને આવી હતી. મહેશ જોશીએ સુશાંતની સ્પ્રિચુઅલ હીલિંગ કરી હતી. સ્પ્રિચુઅલ ગુરૂ મહેશ જોશીની પણ હવે સીબીઆઈ પૂછપરછ કરશે.

Share This Article