જમ્મુ-કાશ્મીરના LG પદ પરથી ગિરીશચંદ્ર મુર્મુનું રાજીનામું, જાણો કોણ બનશે નવા LG

admin
1 Min Read

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પદ પરથી ગિરીશચંદ્ર મુર્મુએ રાજીનામુ આપ્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ગિરીશચંદ્ર મુર્મુના રાજીનામાની સાથે જ જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ રેલરાજ્ય મંત્રી મનોજ સિન્હાની પસંદગી કરી લેવામાં આવી છે.

(મનોજ સિંહા, પૂર્વ રેલવે રાજ્ય મંત્રી)

સિન્હા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રેલવે રાજ્યમંત્રી અને સંચાર રાજ્યમંત્રી રહી ચુક્યા છે. ગાજીપુરથી સાંસદ રહી ચુકેલા સિન્હા પૂર્વ ઉત્તરપ્રદેશમાં ભાજપના દિગ્ગજ નેતા છે. જો કે, ગત વર્ષે લોકસભા ચૂંટણી હારી ગયા હતા. UPમાં 2017માં વિધાનસભા ચૂંટણી પછી તેમનું નામ મુખ્યમંત્રી તરીકે પણ સામે આવ્યું હતું.

( ગિરીશચંદ્ર મુર્મુ)

મહત્વનું છે કે ગિરીશચંદ્ર મુર્મુ કેન્દ્રશાસિત જમ્મુ- કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ હતા. તેમણે બુધવારે રાજીનામું આપ્યું હતું. 1985 બેંચના IAS અધિકારી મુર્મૂ ગુજરાત કેડરના અધિકારી છે. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મુર્મૂ તેમના પ્રિન્સિપલ સેક્રેટરી હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જીસી મુર્મૂને CAG બનાવીને દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. હાલ રાજીવ મહર્ષિ CAG છે અને તેઓ આ સપ્તાહે રિટાયર્ડ થઈ રહ્યા છે.

Share This Article