સરકારે શુક્રવારે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લગાવી છે. દેશમાં ડુંગળીની અછત ન સર્જાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે જ સરકારે 31 માર્ચ, 2025 સુધી સ્વદેશી ચણાની આયાત ડ્યૂટીમાં છૂટ આપવાનો નિર્ણય લીધો હતો.
આ ઉપરાંત, 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલ ‘બિલ ઑફ એન્ટ્રી’ દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિ પણ લંબાવવામાં આવી છે.
‘બિલ ઑફ એન્ટ્રી’ એ કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ્સ ક્લિયરન્સ એજન્ટો પાસે આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે.
આ દેશોને વિશેષ છૂટ મળી છે
હાલમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. જો કે, સરકાર ભારતના મિત્ર દેશોમાં નિકાસને મંજૂરી આપે છે. તેણે UAE અને બાંગ્લાદેશમાં ચોક્કસ માત્રામાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, ભારતે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.