ગજરાત : ઓલપાડના કરંજ ગામે ભારે વરસાદથી દિવાલ ધસી પડતા મકાન ધરાશાયી

admin
1 Min Read

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે રાત્રિ દરમિયાન સુરત જિલ્લાના ઓલપાડમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. રાત્રિ દરમિયાન વરસાદ વરસતા ઓલપાડ તાલુકાના કરંજ ગામે એક મકાન ધરાશાયી થયું હતું. જેથી મકાનની અંદર નિંદર માણી રહેલા દંપત્તીનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. દંપત્તીના મોતની જાણ થતાં રાજકિય આગેવાનો અને પોલીસ તથા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. રાત્રિ દરમિયાન લગભગ બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.

છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદ વરસવાના કારણે દિવાલનો પાયો કાચો પડ્યો હોવાની આશંકા દિવાલ પડતાં વ્યક્ત કરાઈ રહી છે. દિવાલની સાથે સિમેન્ટના પતરા સાથેનું સમગ્ર મકાન ધરાશાયી થયું હતું. જેથી મકાનમાં સૂતેલા આહીર દંપત્તી(પરષોતમ લવાભાઇ આહિર અને શાંતિબેન પી આહિર) નું કાટમાળ નીચે ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. સમગ્ર ઘટના અંગે લોકોને જાણ થતાં પોલીસ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને જાણ કરાતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Share This Article