ગુજરાત : અમિત શાહની CM-DYCM સાથે બંધ બારણે બેઠક

admin
1 Min Read

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા છે. ત્યારે ગઈકાલે બપોરે ભાજપના ચાણક્ય અમિત શાહ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાતે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહએ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજી હતી અને બંધ બારણે યોજાયેલી આ બેઠકની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ઉપરાંત અમિત શાહની ગુજરાત રાજ્યપાલ સાથેની સૌજન્ય મુલાકાતને કારણે રાજકીય વર્તુળોમાં ખુબ જ સૂચક માનવામાં આવી રહી છે.

આ મુલાકાત બાદ આગામી દિવસોમાં ગુજરાત સરકારમાં તથા રાજકીય ક્ષેત્રે મહત્વનાં ફેરફાર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ગુજરાતમાં રાજકીય ઉથલપાથલની ચર્ચાઓ વચ્ચે સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી રૂપાણી, અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચે બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ તેઓએ સાથે ભોજન પણ લીધું હતું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ અમિત શાહે બેઠક કરી હોવાની વાતથી ભાજપમાં ચર્ચાઓ ચગડોળે ચડી છે. ખાસ કરીને હાલમાં આપના આગમન તથા પાટીદાર ઇફેક્ટનાં મુદ્દે અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચે ચર્ચા ખુબ જ મહત્વની પુરવાર થઇ શકે છે. ખોડલધામ ખાતે પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી ત્યારથી રાજકીય માહોલ ગરમાયો છે. તો બીજી બાજુ કેજરીવાલની એક દિવસીય મુલાકાત બાદ રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

Share This Article