ગુજરાત : સુરત: અલ્પેશ કથીરિયાને ‘ઑફર’ અંગે હાર્દિક પટેલ અડી ગયા, કહ્યું “ઑફરો નરેન્દ્રભાઇ કરે, અમે નહીં”

admin
1 Min Read

પાસ નેતા અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થતા રાજકારણ ગરમાયું છે હવે આગામી સમયમાં કેવી રણનીતિ કરવી તેને લઈ સમાજના આગેવાનો સાથે બેઠક કરી ચર્યા કરવામાં આવશે અને આગળ નિર્ણય લેવામાં આવશે તેવું અલ્પેશ કથિરીયાએ જણાવ્યું છે. PAAS નેતા અલ્પેશ કથિરીયા છેલ્લા કેટલાક સમયથી જેલમાં હતા જે બાદ આજે તેઓ મુક્ત થયા છે ત્યારે તમને મળવા માટે અનેક રાજકીય આગેવાન અને તેમના સાથી મિત્રો તેમને મળવા પહોંચ્યા હતા.

ત્યારે કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ અને એક વખતે પાસના સર્વે સર્વા રહેલા હાર્દિક પટેલ પણ અલ્પેશ કથિરીયાના સ્વાગત માટે સુરત આવ્યાં હતાં. જેમણે કહ્યું હતું કે, અમારો મિત્ર અને સાથીદાર જેલમુક્ત થતો હોય તેનો સ્વાભાવિક આનંદ હોય, હું તેના સ્વાગત માટે આવ્યો છું. સમાજ માટે ગરીબો માટેની લડાઈ ચલાવનાર દરેક વ્યક્તિએ સાથે મળીને હજુ પણ વધુ લડાઈ કરવાની છે. જે આગામી સમયમાં પણ ચાલું રહેશે. ત્યારે અહી અલ્પેશ કથીરિયાને ‘ઑફર’ અંગે સવાલ કરતા હાર્દિક પટેલ અડી ગયા હતા અને કહ્યું હતું કે “ઑફરો નરેન્દ્રભાઇ કરે, અમે નહીં”

Share This Article