ગુજરાત : રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું

admin
1 Min Read

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર જેવી અનેક સુવિધાઓ માટેની અછતને જોઇને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. આ અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં 82 પાનનું સોગંદનામું રજૂ કર્યું છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા આ સોગંદનામામાં કોરોનાની કપરી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો દાવો કર્યો છે. સોગંદનામા પ્રમાણે રાજ્યમાં ઓક્સિજનની ઉભી થયેલી અછતને પહોંચી વળવા સરકાર સક્ષમ છે,

 

જિલ્લા સ્તરે RTPCR ટેસ્ટિંગ માટે માળખું ઉભું કરવા સરકાર કામ કરતી હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે.  રાજ્યમા RTPCR ટેસ્ટ માટે  98 કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત છે. જેમાંથી 27 સરકારી અને 55 પ્રાઇવેટ લેબોરેટરીતેમજ અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ માટે વ્યવસ્થા કરી છે. આ સિવાય 79444 કોવિડ દર્દીઓ માટે રાજ્યમાં બેડ અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનામાં દર્દીઓને યોગ્ય સુવિધાઓ આપવા રાજ્ય સરકારે IAS અધિકારીઓને જવાબદારી સોંપી, GMDCમાં આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની કોવિડ કેર સેન્ટર કેન્દ્ર સરકાર તેમજ  DRDOની સહયોગથી કરાશે, અમદાવાદની સમરસ હોસ્પિટલમાં 500 તેમજ નિકોલ 120 બેડની હોસ્પિટલ ઉભી કરશે, રાજ્ય સરકાર ડેશ બોર્ડ ઉભું કર્યું છે, જેમાં રોજના કોરોના કેસો મૃત્યુઆંક રિકવર થયેલા દર્દીઓના આંકડા પ્રસિદ્ધ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Share This Article