ગુવાહાટીમાં કર્ફ્યૂનું લોકોએ કર્યું ઉલ્લંઘન,ઈન્ટરનેટ સેવા બંધ

admin
1 Min Read

ગુવાહાટીમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં નોર્થ ઈસ્ટના રાજ્યોમાં સતત ચોથા દિવસે પણ ઉગ્ર પ્રદર્શન ચાલ્યું હતું. સૌથી વધારે અસર આસામ અને ત્રિપુરાને થઈ છે. આસામમાં પરિસ્થિતિ એટલી હદે બેકાબૂ બની ગઈ હતી કે ત્યાંના 10 જિલ્લાઓમાં કર્ફ્યૂ લગાવામાં આવ્યો હતો. જો કે, રાજ્યની રાજધાની ગુવાહાટીમાં જ પ્રદર્શનકારીઓએ કર્ફ્યૂનું ઉલ્લંઘન કર્યું હતું. અહીં આગચાંપી અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં 48 કલાક માટે ઈન્ટરનેટ સેવાને બંધ કરાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું આસામના મારા ભાઈઓ અને બહેનોને કહેવા માંગુ છું કે બિલ અંગે ચિંતા કરવા જેવું કંઈ નથી, તમારા હક છીનવાશે નહીં. ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ આજે સુપ્રીમ કોર્ટમાં નાગરકિતા સંશોધન 2017 વિરુદ્ધ અરજી કરશે. રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પાસ કરી દેવાયું હતું.પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું તેમને કહેવા માંગીશ કે કોઈ તમારા અધિકારો, ઓળખ અને સંસ્કૃતિને નહીં છીનવી શકે. કેન્દ્ર સરકાર બંધારણની સુરક્ષા, ભાષા, સંસ્કૃતિ અને આસામની સંસ્કૃતિ અંગે પ્રતિબદ્ધ છે.

 

Share This Article