ગુજરાતમાં કોરોનાએ હવે રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે. 29 જુલાઈ સાંજથી 30 જુલાઈ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1159 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 60 હજારને પાર કરી ગઈ છે. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધી 60285 કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 879 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 22 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2418 થયો છે.
(File Pic)
જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 44074 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 271 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 157, વડોદરામાં 96 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 87, ગાંધીનગરમાં 37 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો ભરુચમાં 35, દાહોદમાં 31, બનાસકાંઠામાં 28 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13793 એક્ટિવ કેસ છે. જેમાં 84 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 13709 સ્ટેબલ છે.