આ તે કેવી સજા ? સુરતમાં એક સાથે પાંચ શ્વાનને ચિકનમાં ઝેર આપી મારી નાંખ્યા

admin
1 Min Read

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આંતક સામે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ના આવતા પાંડેસરા વિસ્તારમાં એક બે નહીં પાંચ જેટલા શ્વાનને ઝેરી દવા આપીને મારી નાખવામાં આવ્યા છે.

આ ઘટના બનતા પ્રાણી પ્રેમી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

સુરતના સ્લમ વિસ્તારમાં શ્વાનનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વિસ્તારમાં શ્વાન લોકો પર હુમલા કરતા હોય છે ત્યારે આવા શ્વાનનો ત્રાસ દૂર કરવાની ફરિયાદ કરી હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા કેટલાક લોકોએ શ્વાનને ઝેરી દવા આપ મારી નાખતા મામલો ગરમાયો છે.

https://twitter.com/Theindi47072747/status/1356611091808321537?s=20

Share This Article