ભારતીય સેનાએ આતંકીઓનો બોલાવ્યો ખાતમો, 24 કલાકમાં 9 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા

admin
1 Min Read

કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. શોપિયામાં ગત 24 કલાકમાં 9 આતંકવાદી ઠાર માર્યા છે. જ શોપિયાના પિંજોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટર પુરૂ થઇ ગયું છે.

સુરક્ષાદળોએ  આજે 4 આતંકવાદી ઠાર માર્યા છે. આ ચારે હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી હોવાનું જાણવા મળ્યું છે. જમ્મૂ-કાશ્મીર પોલીસ તરફથી મળતી જાણકારી મુજબ ખાનગી ઈનપુટ મળ્યા પછી શોપિયાના પિંજોરા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષાદળોએ એક જોઈન્ટ ઓપરેશન ચલાવ્યુ હતુ જે દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરીંગ શરુ કરી દેતા સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો.

જેમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં ત્રણ જવાન ઘાયલ થયા છે આ અંગેની જાણકારી કાશ્મીરના IGP વિજય કુમારે આપતા જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં સેના અને પોલીસે સાથે મળીને બે કમાન્ડર સહિત 9 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં ગોળા બારૂદ અને હથિયાર મળી આવ્યા છે.

Share This Article