જામનગરમાં દર વર્ષે હર્ષિદા ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં રમેલી તમામ યુવતીઓ માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે આવેલ વાડીમાં દર વર્ષે 30 હજાર જેટલી બાળાઓને જમણવાર કરાવવામાં આવે છે. આ વર્ષે પણ હર્ષિદા ગરબી મંડળ દ્વારા આ પરંપરા ચાલુ રાખવામા આવી છે. નવ દિવસ માતાજીના ગરબા રમેલી બાળાઓ મોટી સંખ્યામાં હર્ષિદા ગરબી મંડળના જમણવારમાં ઉપસ્થિત રહે છે. છેલ્લા 44 વર્ષથી જામનગર શહેરમાં ગરબી મંડળ દ્વારા કુવારીકાઓને જમાડવામાં આવે છે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની કુલ ૭૦૦ જેટલી ગરબી મંડળની બાળાઓ જમણવારમાં ઉપસ્થિત રહી હતી હર્ષિદા ગરબી મંડળ દ્વારા સૌપ્રથમ 11 બાળાઓને જમાડીને જમણવારની શરૂઆત કરવામાં આવી હતી આજે ૪૪ વર્ષે ૩૦,૦૦૦ જેટલી બાળાઓને જમણવવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના વિવિધ સંતો મહંતો તેમજ હર્ષિતા ગરબી મંડળના 50 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં ૩૦ હજાર બાળાઓનું જમણવાર
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.