કોલકત્તા એરપોર્ટ પર મધમાખીઓના ઝૂંડે કરી દીધો વિમાન પર હુમલો, જુઓ પછી શું થયું….

admin
1 Min Read

પશ્ચિમ બંગાળના કોલકત્તા એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં મધમાખીઓના એક ઝુંડે વિમાન પર હુમલો કરી દીધો હતો.

વિસ્ટારાની ફ્લાઈટ દિલ્હી જવા ઉડાણ ભરવાની તૈયારીમાં હતી તે દરમિયાન મધમાખીઓના ટોળાએ વિમાનની બારી પર હુમલો કરી દીધો. આ ઘટના સોમવારે સાંજે બની હતી જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

કોલકાતા એરપોર્ટના 25 નંબરના બે પર આ ઘટના બન્યા બાદ ફાયરબ્રિગેડ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને વોટરકેનનનો મારો ચલાવીને મધમાખીઓને પ્લેનથી હટાવી હતી. મધમાખીઓ આ પ્રકારના હુમલો ફરી ન કરે તે માટે જંતુનાશકનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ મુસાફરને કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહતી. એક એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ, શિયાળાના સમયમાં મધમાખીઓની આ સમસ્યામાં ઊભી થતી હોય છે કારણે કે તેઓ લાંબા સમયથી પાર્ક કરવામાં આવેલા પ્લેન પર જઈને બેસી જાય છે. ક્યારેક તો એરક્રાફ્ટની અંદર પણ મધમાખીઓ ઘૂસી જતી હોય છે.

Share This Article