કાંકરેજ તાલુકાના મોટા જામપુર માંથી વિભાજન રાઠોડ વાસ ગ્રુપ ગ્રામ પંચાયત 4 કિલો મીટર જેટલું અંતર હોવાથી રાઠોડ વાસ કાટકોર પટની ઓઢા વડુવાસ વાયના ઓઢા માનસુગજી ઓઢા. વિગેરે ગામ લોકોએ પંચાયત દૂર પડતી હોવાથી રોડ ઉપર આવેલ પટની ઓઢાની પાસે મોટા જામપુર ગ્રામ પંચાયત ના રેકડ ઉપર હક બોલતી જમીન ઉપર રાઠોડવાસ ગ્રુપ ગ્રામ પંચાયત ના બાંઘકામની ગાંધીનગરથી મંન્જુરી લીધેલ જે સરપંચે પોતાના સ્વાર્થ માટે માનસુગજી ના ઓઢા ખાતે બાંધકામ ચાલુ કરેલ જે બીજા પરા વિસ્તારને મન્જુર ના હોવાથી વિરોધ્ધ માં લેખિત રજુઆત કરવામાં આવી છે. આ બાબતે અરજદારે મોટા જામપુર તલાટી પાસેથી જાણવા મળેલ કે અમે કોઈ સંમતિ આપેલ નથી તો સ્થળ બદલાયું કેવી રીતે કોની લાગવગથી જેની તપાસ કરી ને લોકો ન્યાય ની ઈચ્છા રાખી રહયા છે.