મહેસાણા શહેરના આઝાદ ચોકમાં આવેલી જૈન સમાજના આયંબીલ ભવનના રસોડામાં સવારે 10 વાગ્યે ગેસના બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો ભયાનક કહતો કે ભવનના બારી અને બારણાના તૂટ્યા હતા તેમજ કાચની બારીઓના કાચ તૂટ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની અહેવાલ નથી. દરમિયાન બ્લાસ્ટના પ્રચંડ અવાજથી આસપાસના લોકો ગભરાયા હતા.આયંબીલ ભવનમાં સવારે 10 વાગ્યાના સુમારે રસોઈ બનાવવામાં આવી રહી હતી ત્યારે અચાનક એક બાદ એક એમ બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બ્લાસ્ટને પગલે આસપાસના ઘરમાંથી લોકો બહાર દોડી ગયા હતા.આયંબીલ ભવન આસપાસના લોકોએ પાઈપલાઈન અને સાત જેટલા ગેસ સિલિન્ડરને પગલે સંસ્થાને અવારનવાર રજૂઆત કરી હતી. જોકે સંસ્થા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. ભવન પાસે જ રહેતા અલ્પેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટથી દીવાલ પડી હોત તો હું દબાઈને મરી ગયો હતો.