મહેસાણા : ખેરાલુ તાલુકાના રામપુરા ગામમાં ખેતરમાં આગ

admin
1 Min Read

મહેસાણા જિલ્લાન ખેરાલુ તાલુકાના રામપુરા ગામમાં ખેતરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગવાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ખેરાલુ તાલુકાના રામપુર ગામમાં એક ખેડૂતના ઘઉંના ખેતરમાં અચાનક આગ લાગી હતી. ઘઉંનો પાક સૂકો હોવાથી આગ લાગી હતી. ખેડૂતના ખેતરમાં આશરે દોઢ વિઘામાં 60 મણ ઘઉં આગમાં બળીને ખાખ થયો છે. આગ લાગતા ખેતરમાં ઉભા પાકમાં મોટાપાયે નુકસાન થયુ છે.

 

 

 

ખેડૂતના મતે રુપિયા 25 હજારથી વધુનું નુકસાન થયુ હોવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે. આ બનાવને લઈ આસપાસના વિસ્તારના લોકો પણ દોડી આવ્યા હતા જેમણે આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહતી જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Share This Article