ધારાસભ્ય રાઘવજી પટેલ ખેડૂતોને વહારે આવ્યા

admin
1 Min Read

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાનને લઈને વધુ એક ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ મેદાને આવ્યા છે. અને સત્તામા રહેલી ભાજપ સરકારને જ પત્ર લખીને રજૂઆત કરી છે. ખેડૂતોને થયેલા પારાવાર નુકશાન અંગે સરકાર ઉદાર મને સહાય કરે તેવી લેખિતમાં રજૂઆત કરી છે. મગફળીના પાંદડા અને ડાળખા બગડી ગયા હોવાથી પશુ ચારામાં પણ વીધાએ ચાર હજારની નુકશાની વેઠવી પડશ તેવી પત્રમાં ધારાસભ્ય રાઘવજી પટેલે રજૂઆત કરી છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે ભાજપના નેતા ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાં નુકસાનીનો સર્વે બીજી વખત કરાવવાની માંગ કરી ચુક્યા છે. ત્યારે હવે જામનગરમાં ભાજપના ધારાસભ્યએ જ સરકારને પત્ર લખીને સરકાર ઉદાર મને સહાય કરે તેવી લેખિત રજૂઆત કરી છે.

Share This Article