મોરબી : આધેડનો વીડિયો થયો વાયરલ

admin
1 Min Read

મોરબી જિલ્લાના પીપળીયા ગામના યુવાન કાંતિલાલ અરજણભાઇ મુછડીયાનો આગામી 28 નવેમ્બરના રોજ જીવતા સમાધિ લેશે તેવો બોલતો વીડિયો વાયરલ થયો છે. જેમાં 450 વર્ષ પહેલાં થઇ ગયેલા નવઘણ દાદાના કહેવાથી તે જીવતા સમાધિ લેશે તેવુ યુવાને વીડિયોમાં જણાવ્યું હતું. નવઘણ દાદા આજે પણ હડકવા, કેન્સર, ટીબી સહિતની બિમારીઓ મટાડતા હોવાની પણ માન્યતા હોવાની વાત કાંતિલાલ મુછડીયા વીડિયોમાં કરે છે. યુવાનની સમાધિ લેવાના મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પંડ્યાએ જણાવ્યું છે કે, ભૂતકાળમાં કાંતિલાલ હીરા ઘસતો હતો. કાંતિલાલ માનસિક છે. મને ગ્રામજનોની કાંતિલાલ વિરુદ્ધ અરજી મળી છે અને વિજ્ઞાન જાથા મોરબી પોલીસને સાથે રાખીને આગામી બે દિવસમાં કાંતિલાલનું સત્ય ઉજાગર કરશે. લોકો આ પ્રકારના પાખંડથી દૂર રહે તેવી અમારી અપીલ છે.

Share This Article