ફિલ્મ તાનાજી- ધ અનસંગ વૉરિયરનું મોશન પોસ્ટર રિલિઝ

admin
2 Min Read

બૉલિવૂડ અભિનેતા અજય દેવગણ આવનારા દિવસોમાં એકથી ચડિયાતી એક ફિલ્મો દર્શકો માટે રજૂ કરશે. જેમાં તાનાજી- ધ અનસંગ વૉરિયર સૌથી ખાસ બનશે. આ ફિલ્મમાં અજય દેવગણ એક મરાઠા યોદ્ધા તરીકે દેખાશે. આ ફિલ્મના શૂટિંગ માટે તેમણે ખૂબ જ મહેનત કરી છે……….છેલ્લા કેટલાક દિવસોથી અજય દેવગણ તાનાજી- ધ અનસંગ વૉરિયરના નવા નવા પોસ્ટર્સ દર્શકોની સામે પોસ્ટ કરી રહ્યા છે. આ પોસ્ટરને જબરદસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારબાદ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી ફિલ્મનું મોશન પોસ્ટર રિલિઝ કર્યું હતું.

જેમાં તેઓ સંપૂર્ણપણે સ્વરાજની વાત કરતા દેખાઈ રહ્યા છે………તાનાજી- ધ અનસંગ વૉરિયરનું મોશન પોસ્ટર જોઈને દર્શકોના રુવાડાં ઊભા થવા સ્વાભાવિક છે. અજય દેવગણ આગામી 19 નવેમ્બરના દિવસે ફિલ્મ તાનાજી- ધ અનસંગ વૉરિયરનું ટ્રેલર રિલિઝ કરશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા તાનાજી ધ અનસંગ વોરિયરનું સૈફ અલી ખાનનું નવું પોસ્ટર રિલિઝ થયું છે………….

આ ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં છે. અજય મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજીના રાજ્યકાળમાં તેમના સેનાપતિ રહી ચૂકેલ તાનાજી માલસુરેના રોલમાં છે. જ્યારે સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે.

આ ફિલ્મને અજય દેવગણે ટી સિરિઝ સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, સૈફ અલી ખાનની સાથે કાજોલ, શરદ કેલકર, પંકજ ત્રિપાઠી વગેરે સામેલ છે. ફિલ્મમાં કાજોલ સાવિત્રી માલસુરેના રોલમાં છે.

Share This Article