કોરોનાના કેસોને લઈ ભારત માટે રાહતના સમાચાર

admin
1 Min Read

સપ્તાહના પ્રથમ દિવસે કોરોના સંક્રમણના મામલે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કોવિડ-19 સંક્રમણના 50 હજારથી ઘણા ઓછા કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક પણ 500ની નીચે નોંધાયો છે. પરંતુ કુલ સંક્રમિતોનો આંક 79 લાખને પાર થઈ ગયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,149 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 480 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 79,09,960 થઈ ગઈ છે. જ્યારે ભારતમાં કોરોના મહામારી સામે લડીને 71 લાખ 37 હજાર 229 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. આમ દેશમાં હાલ કોરોનાના 6,53,717 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,19,014 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. મહત્વનું છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,34,62,778 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 9,39,309 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Share This Article