અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો : લગ્નના નવમાં દિવસે જ પત્ની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું

admin
2 Min Read

અમદાવાદના અમરાઈવાડીમાં એક એવો આશ્ચર્ય જનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નના નવ જ દિવસમાં પત્નીને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી પતિ તેની પત્નીને લઈ એક ડોક્ટર પાસે લઈ ગયો હતો. ડોક્ટરે તપાસ કરતા પત્ની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ સાંભળી પતિ સહિત તેના સાસરીયા ચોંકી ઉઠ્યા હતા. જો કે, આ મામલે વિવાદ થતા પત્નીએ પતિ સહિતના સાસરીયા સામે શારિરીક માનસિક ત્રાસ અને દહેજની માંગણીની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ,  શહેરના અમરાઇવાડીમાં રહેતી  નેહા નામની 31 વર્ષીય યુવતીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2018માં તેના લગ્ન ધોળકાના રોહિત સાથે થયા હતા. લગ્ન દરમિયાન રીતરિવાજ દરમિયાન આ યુવતીના માતા પિતાએ કરિયાવર આપ્યું હતું. લગ્નના શરૂઆતના દિવસો સારી રીતે રાખ્યા બાદ સાસુ સસરાએ પિતાના ઘરેથી રૂ બે લાખ લઈ આવવા માટે રેખાને જણાવ્યું હતું. આ દરમિયાન લગ્નના 9માં દિવસે પેટમાં દુઃખાવો થતાં રેખાએએ પતિ રોહિતને વાત કરી હતી. રોહિતે પત્નીને બોપલ ખાતે વડસાસુના ઘરે લઈ ગયો હતો. બોપલના ક્રિષ્ના મેટરનિટી હોમમાં તપાસ કરાવતા રેખા પ્રેગનન્ટ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. પત્ની લગ્નના 9માં દિવસે પ્રેગનન્ટ હોવાની ખબર પડતાં પત્નીને પ્રેગનન્સીની હાલતમાં છોડી જતો રહ્યો હતો. ત્યારબાદ રેખાએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ પતિ, સાસુ, સસરા રેખાની ખબર પુછવા કે તેણે લેવા પણ આવ્યા ન હતા. સાસરિયાંના વહેમિલા સ્વભાવ,દહેજની માંગણી અને ત્રાસથી કંટાળી રેખાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Share This Article