મહેસાણા માટે વધુ એક સારા સમાચાર , ૨૯ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસે આંતક ફેલાવ્યો છે. ત્યારે કોરોનાથી બચવા માટે દેશભરમાં લાંબા સમયથી લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. તેવામાં મહેસાણા જીલ્લા માટે એક સારા સમાચાર આવ્યા છે. એક સાથે ટોટલ ૨૯ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૨૧ લોકોને વડનગર મેડિકલ હોસ્પિટલમાંથી અને ૦૮ લોકોને મહેસાણા કોવિડ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

વડનગર મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૨૧ લોકોનો બીજો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે દર્દીઓમાંથી સાઈ ક્રિષ્ના હોસ્પિટલમાંથી ૦૮ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી મહેસાણામાં કુલ ૪૬ કોરોના પોઝીટિવ કેસ નોંધાયા હતા. જેમાં અગાઉ ૦૮ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ૦૨ લોકોના મોત નીપજ્યાં હતા. અત્યાર સુધી મહેસાણામાં કુલ ૩૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી.

Share This Article