હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકો અલગ-અલગ સેવાનો લાભ લેતા હોય છે ત્યારે બનાસકાંઠાના થરાદમાં આવેલી આનંદ નગર પ્રાથમિક શાળાના આચાર્ય એમ, કે વણકર તથા સ્ટાફ દ્વારા આજે થરાદના રેફરલ ત્રણ રસ્તા જોડે અને શહેરના બીજા ઘણા વિવિધ સ્થળો પર ૫૦૦ જેટલા માસ્ક નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોરોનાની મહામારી માં બિનજરૂરી ઘરની બહાર ના નીકળો અને જો બહાર નીકળો તો માસ્ક ફરજિયાત પહેરો તેવી અપીલ કરવામાં આવી હતી