શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ગાંધીજયંતીની શાળા કોલેજોમાં અને સરકારી કચેરીઓ તેમજ સંસ્થાઓમાં ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા ના પ્રમુખ સ્નેહાબેન શાહ , પાલિકા ઉપ.પ્રમુખ પ્રદીપ પદવાણી ચીફ ઓફિસર અર્જુનભાઈ. એસ.પટેલ સેનેટરી ઇન્સ્પેકટર જીતેન્દ્ર સિંહ રાઠોડ , તાલુકા વિકાસ અધિકારી ડી .આર .ચૌહાણ સહિત પાલિકાના સભ્યો અને સ્ટાફ સાથે ની રેલી નગરપાલિકા કચેરી થી નીકળી હતી નગરના વિવિધ વિસ્તારમાં ફરીને તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી. અધિકારીઓ , પદાધિકારીઓ તેમજ કર્મચારીઓએ ગાંધીજીની તસ્વીરને પુષ્પો અર્પણ કરીને કચેરીના પટાંગણમાં સફાઈ કરી હતી અને પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા માટે શપથ લીધા હતા. જ્યારે શારદા મંદિર હાઈસ્કુલ અને શ્રી શિશુ મંદિર ના વિદ્યાર્થીઓની ગાંધી જયંતી ને લઈને રેલી નીકળી હતી રેલી દરમિયાન સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પ્લાસ્ટિક મુક્ત ભારત , તે સહિત ના બેનરો સાથેની રેલી નગર વિસ્તારમાં નીકળી હતી.નગરના મેઇન બજાર, હોળી ચકલા બસ સ્ટેશન વિસ્તાર ,સિંધી માર્કેટ થઈને રેલી પરત શાળા ખાતે આવી હતી આ સ્વચ્છતા માટે ની રેલી મા શાળાના આચાર્ય મનોજભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ પણ જોડાયો હતો.વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મનોજભાઈ જોષી દ્વારા ગાંધીજીના આદર્શ સિદ્ધાંતો અને જીવન ચરિત્ર ઉપર વિસ્તૃત સમજો આપી હતી નગર અને તાલુકામાં ગાંધીજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી