પંચમહાલ- હીરાપુર ગામે તાલુકાના વિવિધ ગામોની વિરાટ ધર્મસભા યોજાઇ

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના હીરાપુર ગામે તાલુકાના વિવિધ ગામોની વિરાટ ધર્મસભા સંતશ્રીઓ સહિત મહાનુભાવોનીઉપસ્થિતિમાં યોજાઈ. જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામે જાંબુઘોડા તાલુકાના વિવિધ ગામોની વિરાટ ધર્મસભાનું આયોજનકરવામાં આવ્યું હતું જેમાં પંથકના મહાન સંતશ્રીઓ પ.પૂ.વિક્રમદાસ બાપુ,પ. પૂ.લાલાબાપુ તાજપુરા વાળા, પ.પૂ.જશુરામમહારાજ, પ.પૂ. જમનાદાસ મહારાજ, પ.પૂ.માધવડાસ મહારાજ, પ.પૂ. રણછોડદાસ મહારાજ, પ.પૂ.કાંનસિગ બાપુ, પ.પૂ.ગંગાનાથ બાપુ, પ.પૂ. સંગીરાંમ બાપુની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલ હિન્દુ ધર્મની વિરાટ ધર્મસભામાં જાંબુઘોડા તાલુકાના હીરાપુર, વડેક,દીપાપુરા,ચાલવડ, નિઝરન,વાવ, જરવા, કણજીપાણી,રામપુરા, ગરમૂલા, વાજપુર,વાડિયા, ઉઠવન,કરાથી સહિત જાંબુઘોડા ગામના ૨૨૦૦ ઉપરાંત યુવાનો વડીલો માતાઓ બહેનોએ હાજરી આપી હતી,

Panchmahal- Virat Dharmasabha of various villages of Hirapur taluka was held

જેમાં હાલોલ તાલુકાના ક્ષત્રિયસમાજના પ્રમુખ સુભાષભાઈ પરમાર,ભાજપના પૂર્વ પ્રમુખ જશવંતસિંહ સોલંકી,મહામંત્રી ક્ષત્રિય સમાજ હાલોલ પ્રવીણ સિંહપરમાર, સહિત ક્ષત્રિય સમાજના અગ્રણી રામચંદ્ર બારીયા,રતિલાલ બારીયા, હિન્દુ ધર્મ સેના મહામંત્રી સચીનભાઈ શાહ,હાલોલ હિન્દી ધર્મ સેના પ્રમુખ તપનભાઈ ઠકકર સહિત વિવિધ અગ્રણીઓ અને યુવાઓ હાજર રહ્યા હતા.

Share This Article