પંચમહાલ-એસ.ટી વિભાગના મધ્યસ્થ બસ સ્ટેન્ડ માં અસુવિધા ઓથી મુસાફરો ભોગ બની રહ્યા છે

Subham Bhatt
1 Min Read

ગોધરા શહેરમાં આવેલ એસ.ટી વિભાગના મધ્યસ્થ બસ સ્ટેન્ડ માં અસુવિધા ઓથી મુસાફરો ભોગ બની રહ્યા છે છેલ્લા કેટલાકદિવસોથી બસ સ્ટેન્ડ માં લગાવેલ પંખા બંધ અવસ્થા માં હોવાના કારણે મુસાફરો આકરા તાપમાં અને અસહ્ય ગરમી વચ્ચેપરસેવે રેબઝેબ જોવા મળ્યા હતા. ગોધરા શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલ એસ.ટી બસ સ્ટેન્ડમાં હજારો મુસાફરો અવરજવર કરતા હોય હાલમાં વેકેશન અને લગ્નસરા મોસમ પૂર જોશમાં ચાલી રહી છે અને બીજી બાજુ મુસાફરો વેકેશન માણવા માટે પોતાના વતનમાં જવા માટે નીકળ્યા ત્યારે ગોધરા શહેરના એસ.ટી વિભાગના બસ સ્ટેન્ડ માં છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડેલ પંખા ઓથી મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા.

Passengers are suffering due to inconvenience in the central bus stand of Godhra-ST section.

છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો 45 થી 47ડિગ્રી તાપમાન સુધી પહોંચી ગયો છે ત્યારે અસહ્ય ગરમી થી બચવા માટે લોકો એસી, કૂલર, ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહારો લઈગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે ત્યારે ગોધરા શહેરમાં આવેલ એસ.ટી વિભાગના મધ્યસ્થ બસ સ્ટેન્ડ માં બંધ પડેલ પંખા ઓથી મુસાફરો ત્રસ્ત થઇ ગયા છે ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા બંધ પડેલ પંખા સત્વરે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..

Share This Article