મેવાડ બ્રાહ્મણ સમાજ દ્વારા પૈદલ સંઘનું આયોજન કરાયું

admin
1 Min Read

યાત્રાધામ અંબાજીથી રાજસ્થાન કલવાણા ભૈરવજી પૈદલ યાત્રા સંઘ નીકળવામાં આવ્યો છે. આજ રોજ યાત્રા ધામ અંબાજીમાં સમસ્ત મેવાડ બ્રાહ્મણ સમાજ મંડળ દ્વારા યાત્રા ધામ અંબાજીથી રાજસ્થાન કલવાણા ભૈરવજીના મંદિર સુધીનો પૈદલ યાત્રા સંઘ નીકળવામાં આવ્યો હતો. આ સંઘ આજ રોજ સવારે રથને શણગારી અને ભૈરવજીની આરતી કરી અને પ્રસાદ વિતરણ  કરી સમસ્ત નગરજનો દ્વારા આરાધ્ય દેવ ભૈરવજીનુ ધ્યાન ધરી પૈદલ યાત્રા સંઘને આગળ વધારવામાં આવ્યો હતો. આ સંઘ રાજેન્દ્ર નગર સોસાયટીમાં દશામાતાના મંદિરેથી લઈને યાત્રા ધામ અંબાજીના મુખ્ય માર્ગો પર ફરી રાજસ્થાન જવાના માર્ગો પર વળ્યો. આ સંઘ અંબાજીથી રાજસ્થાન કલવાણા ભૈરવજીના મંદિર સુધી પહોંચતા લગભગ ત્રણ દિવસ લાગે છે અને એ યાત્રાધામ અંબાજીથી કલવાણા લગભગ એકસો પંચાસ કીલો મીટરની દૂરી પર છે. સમસ્ત મેવાડ બ્રાહ્મણ સમાજ મંડળ દ્વારા આ સંઘ નીકળવામાં આવ્યો હતો. યાત્રા ધામ અંબાજીના મુખ્ય માર્ગો પર જય ભૈરુનાથ જય ભૈરુનાથના જય ઘોષથી આખુ યાત્રાધામ અંબાજી ગુંજી ઉઠ્યુ હતુ.

 

Share This Article