ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે વડોદરામાં ભાજપા દ્વારા ગાંધી બાપુની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી સંકલ્પ યાત્રા અંતર્ગત સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીમાં વડોદરા લોકસભા મત વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં ગાંધી બાપુનો વેશ ધારણ કરનાર યુવાનને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પુષ્પમાળા પહેરાવી હતી.અને ત્યારબાદ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ,ભાજપના અગ્રણીઓ , કાઉન્સિલરો,અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બેનરો પોસ્ટરો સાથે પદયાત્રામાં જોડાયા હતા.આ પદયાત્રા કારેલીબાગ અમિતનગર સર્કલ થી શરૂ થઈ હતી.અને વાઘેશ્વરી ત્રણ રસ્તા,ચન્દ્રાવલી ચાર રસ્તા,અંબાલાલ પાર્ક ,પાણીની ટાંકી સહિતના માર્ગો પર ફરી અમિત નગર સર્કલ ખાતે પદયાત્રાનું સમાપન થયું હતું.
સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીમાં પદયાત્રા
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.