વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન (IBFP)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આ પ્રોજેક્ટથી લાભ મેળવનાર તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
બાંગ્લાદેશ સાથે નવો અધ્યાય શરૂ થાય છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. અમે સપ્ટેમ્બર 2018માં આ ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. મને ખુશી છે કે આજે વડાપ્રધાન શેખ હસીના જી સાથે ઉદ્ઘાટન કરવાનો સમય આવી ગયો છે.
તેમણે કહ્યું કે કોવિડ મહામારી હોવા છતાં આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પાઈપલાઈન ઉત્તર બાંગ્લાદેશના વિવિધ જિલ્લાઓમાં 1 મિલિયન મેટ્રિક ટન ડીઝલનો સપ્લાય કરી શકશે. પાઇપલાઇનને કારણે સપ્લાય પર થતા ખર્ચમાં ઘટાડો થશે.