સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યોજાયો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

admin
1 Min Read

ભાવનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મૂર્તિની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા. આ પ્રસંગે ભાવનગરના જવાહર ચોક ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં શ્લોકનુ પઠન કરવામાં આવ્યુ. 22 હજાર 222 વિદ્યાર્થીઓએ ભગવદગીતાના પ્રથમ અધ્યાયના શ્લોકનું ગાન કર્યુ. ફિલ્મી ગીતોના રવાડે ચઢેલી યુવાપેઢીને ભારતીય સંસ્કૃતિનુ મહત્વ સમજાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ. 13 થી 17 નવેમ્બર સુધી અલગ અલગ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પ્લાસ્ટિક મુક્ત ભાવનગર બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. જેમાં પ્લાસ્ટિકને બદલે કાપડના હોર્ડિંગ્સ લાગેલા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ગુરુકુલ દ્વારા છંદ ગીતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22 હજારથી વધુ બાળકો અને લોકો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગીતાનું જ્ઞાન કરવામાં આવ્યું હતું. જેમા મનસુખ માંડવીયા અને જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.

Share This Article