વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

admin
1 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વચ્છ ભારત મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેન્ટર મહાત્મા ગાંધીને સમર્પિત કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ આ માટે સૌથી પહેલા 10 એપ્રિલ 2017ના રોજ ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પુરા થવા પર કરી હતી. આ કેન્દ્રમાં આવેલા સભાગૃહમાં ભાવિ પેઢીને સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રાના દર્શન થશે.

(File Pic)

આ પ્રસંગે તેમણે કહ્યું કે, આજથી 15 ઓગસ્ટ સુધી દેશમાં એક સપ્તાહ લાંબુ અભિયાન ચલાવો. ગંદકી ભારત છોડો સપ્તાહ છે. ઓફિસરોને આગ્રહ કર્યો કે, તે પોત-પોતાના વિસ્તારમાં કમ્યુનિટી ટોયલેટ બનાવવાનું અભિયાન ચલાવે.

(File Pic)

પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું લોકાર્પણ ઘણી મોટી પ્રાસંગિક ઘટના છે. કેન્દ્ર બાપુના સ્વચ્છાગ્રહ પ્રતિ 130 કરોડ ભારતીયોની શ્રદ્ધાંજલિ છે, કાર્યાંજલિ છે. ભારતના ઈતિહાસમાં 8 ઓગસ્ટનો દિવસ અતિ મહત્વનો છે. આજના જ દિવસે 1942માં ગાંધીની આગેવાની આઝાદી માટે ગાંધીએ આંદોલન શરૂ કર્યુ હતું. ગાંધીજીએ આંદોલન શરૂ કર્યુ હતું, અંગ્રેજો ભારત છોડોનો નારો આપ્યો હતો. મહત્વનું છે કે, મોદીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં સ્વચ્છ ભારત મિશન પર શોર્ટ ફિલ્મ નિહાળી હતી. દેશભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વીડિયો બનાવ્યો છે.

Share This Article